Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાના વડા મથકમાં કંગાળ સ્થિતિ !
ખંભાળીયા તા. ૨૫: ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની અછતના કારણે સ્થિતિ દયનીય બની હોય, ખંભાળીયાના વતની તથા આપના નેતા ઈશુદાન ગઢવી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
જરૂરી તબીબો તથા સ્ટાફ ના હોય, દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, ગ્રામ્ય પંથકમાંથી આવતા દર્દીઓને કલાકો રાહ જોવી પડતી હોય, તથા સમયસર ઈલાજ ન થતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, અને ક્યારેક અકાળે મૃત્યુ જેવા બનાવો પણ બનતા હોવાનું તેમણે જણાવીને ભાજપ સરકારના રાજમાં સરકારી સ્વાસ્થ્ય સેવા ખાડે ગયાનું જણાવીને જો સરકારી સ્વાસ્થ્ય સેવા સુધરે તો તેમના મળતીયાઓને મોટું નુકસાન થાય તેમ હોય, ભ્રષ્ટ સરકાર આ સુવિધાઓ સુધારવા ના માંગતી હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો હતો.
જુના મહેકમનો સ્ટાફ પણ પુરતો નથી
ખંભાળીયાની સરકારી હોસ્પિટલ વર્ષોથી અપગ્રેડ થઈ ને ૧૫૦ બેડની થઈ છે તથા તે મુજબ સેવા અપાય છે, પણ સ્ટાફ હજી જુના સમયનો પણ પુરતો ના હોય તથા અનેક સ્પેશ્યાલિસ્ટ તબીબો પણ ના હોય જિલ્લાના વડા મથકની આ હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થતી હોવાનું તથા ફરજિયાત ખાનગી તબીબોને ત્યાં જવું પડતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial