Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં થયેલી હત્યાના બીજા આરોપીની કરાઈ કરપકડ

રવિવારે થઈ હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના નવાગામ ઘેડમાં રવિવારે રાત્રે થયેલી એક યુવાનની હત્યાના એક આરોપીને પકડી પાડવામાં આવ્યા પછી રાજકોટના બીજા આરોપીને પણ પોલીસે દબોચી લીધો છે.

જામનગરના નવાગામ ઘેડમાં રવિવારે રાત્રે મિલનભાઈ પરમાર નામના ખવાસ યુવાનની હત્યા થઈ હતી. તેની ફરિયાદ મૃતકના ભાણેજે પોલીસમાં નોંધાવ્યા પછી પોલીસે આરોપીઓના સગડ દબાવ્યા હતા.

તે દરમિયાન મયુર ગોહિલ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધા પછી મૂળ જામનગરના અને હાલમાં રાજકોટમાં ઘંટેશ્વર પાર્ક પાસે વર્ધમાનનગરમાં રહેતા સંજય ભીખાભાઈ શિયાર નામના બીજા આરોપીને પણ દબોચી લેવામાં આવ્યો છે. બંને આરોપીને પીએસઆઈ એમ.વી. મોઢવાડીયાએ ઓળખ પરેડ કરાવ્યા પછી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh