Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા હિન્દી પરીક્ષાનું આયોજન

આગામી તા. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા તા. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના સૌરાષ્ટ્ર-કચ્છના ૪૦૦ જેટલા કેન્દ્રો પર હિન્દી બાળપોથી, પહલી, દૂસરી અને તીસરી પરીક્ષા યોજવામાં આવશે. જેના ફોર્મ વિતરણ તા. ૧૮ ઓગષ્ટ સુધી ભરી શકાશે. તેમજ ભરાયેલા અરજીપત્રકોની ફી તા. ૨૨ ઓગષ્ટ સુધીમાં કાર્યાલયમાં ભરી શકાશે.

બાળકોમાં ભાષા શુદ્ધી, વ્યાકરણ, જોડણી વિગેરેનું જ્ઞાન  વધે તે હેતુથી આ પરીક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવે છે. ૪૦૦ જેટલા કેન્દ્રો હોવા છતાં પણ ઘણાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાથી વંચિત રહી જાય છે. આથી જે શિક્ષણ સંસ્થા રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર અને પરીક્ષા કેન્દ્રો શરૂ કરવા ઈચ્છતી હોય, તેમણે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ (રાજકોટ) નો ફોન નં. ૦૨૮૧-૨૪૬૬૨૨૭, અથવા મો. ૭૯૮૪૨ ૫૩૫૫૯ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh