Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બર્ધનચોક, દરબારગઢ, કાલાવડનાકા સહિત
જામનગર તા. રપઃ જામનગરમાં બર્ધનચોક, દરબારગઢ, કાલાવડનાકા બહાર સહિતના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી હતી, અને રેંકડીઓ, કાઉન્ટરો, વગેરે માલસામાન જપ્ત કર્યા હતાં સમયે કર્મચારીઓ, ધંધાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
જામનગર મહાપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખા દ્વારા સતત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. પણ દરબારગઢ બર્ધનચોક, કાલાવડનાકા બહારના વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ રેંકડી ઊભી રાખી અથવા સ્ટોલ ઊભા કરી ધંધો કરતા ધંધાર્થીઓની ર૮ રેંકડીઓ અને ચાર કાઉન્ટરો કબજે લેવાયા હતાં.
આ સમયે ધંધાર્થીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જો કે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત એસ્ટેટ શાખાની ટીમ દ્વારા સાધના કોલોની માર્ગથી ૬૦ થી વધુ જાહેરાતના ગેરકાયદે લટકાવાયેલા બોર્ડ પણ ઉતરાવી લીધા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial