Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના સસરાનું પોલીસે નોંધ્યું નિવેદનઃ
જામનગર તા.ર૬ : જામનગર નજીક હાપાની જયોતિ સોસાયટીમાં વસવાટ કરતા એક યુવાને ગઈકાલે અકળ કારણથી પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસે મૃતકના સસરાનંુ નિવેદન નોંધ્યું છે.
જામનગરના હાપા વિસ્તારમાં આવેલી રેલવે કોલોની નજીક જયોતિ સોસાયટીમાં વસવાટ કરતા ભગવતસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.૩૦) નામના યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે એક ઓરડામાં રહેલા પંખામાં કોઈ અકળ કારણથી ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના પરિવારને જાણ થતાં ભગવત સિંહને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. શહેરના ગોકુલનગર પાસે રામનગર શેરી નં.૬માં રહેતા કુંવરસિંહ નીરૂભા ગોહિલે પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહ ને પી.એમ. માટે ખસેડી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial