Advertisement
Author: નોબત સમાચાર

હાપાની જ્યોતિ સોસાયટીમાં યુવાનનો અકળ કારણથી ગળાફાંસોઃ નિપજ્યું મૃત્યુ

મૃતકના સસરાનું પોલીસે નોંધ્યું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૬ : જામનગર નજીક હાપાની જયોતિ સોસાયટીમાં વસવાટ કરતા એક યુવાને ગઈકાલે અકળ કારણથી પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસે મૃતકના સસરાનંુ નિવેદન નોંધ્યું છે.

જામનગરના હાપા વિસ્તારમાં આવેલી રેલવે કોલોની નજીક જયોતિ સોસાયટીમાં વસવાટ કરતા ભગવતસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.૩૦) નામના યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે એક ઓરડામાં રહેલા પંખામાં કોઈ અકળ કારણથી ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના પરિવારને જાણ થતાં ભગવત સિંહને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. શહેરના ગોકુલનગર પાસે રામનગર શેરી નં.૬માં રહેતા કુંવરસિંહ નીરૂભા ગોહિલે પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહ ને પી.એમ. માટે ખસેડી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh