Advertisement
Author: નોબત સમાચાર

તંત્રના ભેદભાવ સામે બર્ધનચોકમાં વેપારીઓએ બંધ પાળી દર્શાવ્યો વિરોધ

જામનગરમાં ટ્રાફિકને અડચણરૂપ રેંકડી-પથારાવાળાઓના મુદ્દે

                                                                                                                                                                                                      

જામનગરના બર્ધનચોક વિસ્તારના વેપારીઓ દ્વારા ગઈકાલે સાંજે વેપાર-ધંધા બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તંત્ર દ્વારા વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવતા આ વિરોધ કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બર્ધનચોક વિસ્તારની રેંકડી, પથારાવાળાઓને દૂર ખસેડી તેમનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. સાથોસાથ દુકાનદાર ફરિયાદ કરવા જાય તો તેમનો પણ માલસામાન જપ્તમાં લેવામાં આવે છે. જ્યારે અમુક રેંકડી-પથારાવાળા બિંદાસ ધંધો કરતા રહે છે. આથી તંત્રની ભેદભાવભરી નીતિ સામે બર્ધનચોકના વેપારીઓ દ્વારા ગઈકાલે બપોર પછી દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને નો હોકિંગ ઝોનની કડક અમલવારી કરવાની માંગણી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh