Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪ રેંકડી અને એક કાઉન્ટર કબજે કરાયું
જામનગરમાં આજે બપોરે બર્ધનચોક વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા શરૂ કરાયેલ દબાણહટાવ ઝુંબેશમાં ૧૪ રેંકડી અને એક કાઉન્ટર કબજે લેવામાં આવી છે. ટ્રાફિક સમસ્યા અહીં સૌથી વધુ જોવા મળે છે. તેવા બર્ધનચોક વિસ્તારમાં આજે બપોરે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ દબાણહટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને જાહેર માર્ગ. ઊભી રાખવામાં આવેલી આશરે ૧૪ રેંકડીઓ કબજે લેવામાં આવી હતી અને એક દુકાનનું કાઉન્ટર પણ કબજે લઈ સમગ્ર વિસ્તાર દબાણમુક્ત કરાયો હતો. આ સમયે બહોળી સંખ્યામાં રેંકડીધારકો, લોકો ટોળે વળ્યા હતાં તો અુમક દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી હતી. અમુક દુકાનદારો દ્વારા પોતાના વાહનો દુકાન બહાર જાહેર રોડ ઉપર પાર્ક કરવામાં આવતા હોવાની ત્યાં રાતોરાત દુકાન પાસે પીળાપટા લગાવી દેવાતા વેપારીઓ રોષે ભરાયા હતાં અને બંધ પાળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial