Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાટ્યોત્સવ-પરશુરામ એવોર્ડ, યજ્ઞ-મહાપ્રસાદ યોજાશેઃ
જામનગર તા. ર૬: શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, જામનગર દ્વારા ફક્ત બ્રહ્મસમાજ તેમજ આમંત્રિત મહેમાનો માટે ભગવાન પરશુરામ દાદાના સમગ્ર જીવન ચરિત્ર ઉપર આધારિત અને જામનગર શેરના ઈતિહાસમાં પ્રથમ વખત રંગનિષ્ઠા કલાવૃંદના ર૭ કલાકારો દ્વારા નિઃશુલ્ક લાઈવ નાટ્યોત્સવ તેમજ પરશુરામ એવોર્ડનું આયોજન આવતીકાલ તા. ર૭-૪-ર૦રપ (રવિવાર) ના સાંજે ૪-૩૦ થી ૭-૩૦ વાગ્યે ધન્વન્તરિ ઓડીટોરિયમ, ડી.કે.વી. સર્કલ પાસે, જામનગરમાં કરવમાં આવ્યું છે.
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા ભૂદેવોના આરાધ્યદેવ ચિરંજીવી શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રી પરશુરામજીનું વૈદોક્ત પૂજન તેમજ હોમાત્મક યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન આગામી તા. ર૯-૪-ર૦રપ (મંગળવાર) ના સવારે ૮ વાગ્યાથી ટ્રેનિંગ સેન્ટર, દિગ્જામ વુલનમીલ રોડ, બાજરા સંશોધન કેન્દ્રની સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં મહાપ્રસાદ બપોરે ૧ર-૩૦ વાગ્યે રાખવામાં આવ્યો છે તેમ મેનેજમેન્ટ ટ્રસ્ટી કેતનભાઈ ભટ્ટ તથા શહેર પ્રમુખ કિરીટભાઈ ઠાકર અને શહેર યુવા પ્રમુખ વિમલભાઈ ત્રિવેદી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial