Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે શંકાસ્પદ સહયોગીઓની અટકાયતઃ
શ્રીનગર તા. ૨૬: પહલગામ આતંકી હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર પ્રહાર કરાઈ રહ્યો છે. શોપિયા, કુલગામ, પુલવામામાં લશ્કરના આતંકીઓના ઘર ધ્વસ્ત કરાયા છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા પછી આતંકવાદીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. શોપિયા, કુલગામ અને પુલવામામાં આતંકવાદીઓના ઘરોને નિશાન બનાવીને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, શુક્રવારે પણ બુલડોઝર દ્વારા વધુ બે આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા હતા.
જૂન ૨૦૨૩ થી સક્રિય લશ્કર-એ-તોયબા કેડર પુલવામાના મુરાનનો રહેવાસી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ આઈઈડી નો ઉપયોગ કરીને ઉડાવી દીધું છે. આવી જ બીજી એક કાર્યવાહીમાં, બે વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયેલા શાહિદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું હતું. જ્યારે હુમલા સંબંધિત જાણકારી માટે પોલીસે અનેક લોકોની અટકાયત કરી છે. સૈન્ય અને પોલીસના સંયુક્ત અભિયાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી સુરક્ષાદળોએ આતંકીઓના બે શંકાસ્પદ સહયોગીઓની અટકાયત કરી હતી. આ બંનેને કિવમોહ વિસ્તારના થોરકપોરાથી પકડવામાં આવ્યા હતા.
પહલગામ હુમલા પછી, છેલ્લા ૪૮ કલાકમાં આદિલ ગોજરી (બિજબેહરા), આસિફ શેખ (ત્રાલ), અહેસાન શેખ (પુલવામા), શાહિદ કુટ્ટે (શોપિયા), ઝાકીર ગની (કુલગામ), હરિસ અહેમદ (પુલવામા) એમ કુલ ૬ આતંકવાદી ઘરો તોડી પાડવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે રાત્રે કુલગામના ક્વિમોહમાં સુરક્ષા દળો દ્વારા ૨૦૨૩ માં લશ્કરમાં જોડાયેલા ઝાકિર ગનીનું ત્રીજું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.
ગત રાત્રે, સુરક્ષા દળોએ કુલગામના ક્વિમોહમાં ઝાકિર ગનીના ઘરને ઉડાવી દીધું, તે ૨૦૨૩માં લશ્કરમાં જોડાયો હતો. આ સાથે, સુરક્ષા દળોએ બિજબેહરામાં આદિલ થોકરના ઘરને ઉડાવી દીધું. તેમજ ગઈકાલે ત્રાલમાં, સુરક્ષા દળોએ આસિફ શેખના ઘરને ઉડાવી દીધું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial