Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૮ : કલ્યાણપુરના ગુરગઢ ગામમાં છ વર્ષ પહેલાં યોજાયેલા એક આસામીના પુત્રના લગ્નપ્રસંગે ફાયરીંગ થયાની જે તે વખતે ઉઠેલી ચર્ચા પછી શરૂ થયેલી તપાસના અંતે ગઈકાલે દ્વારકા એસઓજીએ જુદા જુદા પાંચ આસામી સામે ગુન્હો નોંધાવ્યો છે. ફાયરીંગના છ વર્ષ પછી ગુન્હાની નોંધ થઈ છે.
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામમાં ગઈ તા.૨૫-ર-૧૯ના દિને લાખાભાઈ ઓસમાણભાઈ થૈયમના પુત્ર ના લગ્નનો પ્રસંગ યોજાયો હતો. જેમાં સલેમાન ઓસમાણ થૈયમ નામના શખ્સે પાક રક્ષણ માટે પરવાનો મેળવી ખરીદેલી બંદૂકમાંથી ભડાકો કર્યાે હતો. આ શખ્સે પરવાનાની શરતોનો ભંગ કરી ફાયરીંગ કર્યું હોય તેની સામે દ્વારકા એસઓજીના એએસઆઈ કે.આર. માડમે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
તે જ રીતે આ પ્રસંગમાં બશીર હોથીભાઈ થૈયમે પણ ફાયરીંગ કર્યું હતું. તેણે લાખાભાઈની બંદૂકમાંથી ભડાકો કર્યાે હોય. બંને સામે એસઓજીના બી.એન. ગાગીયાએ ગુન્હો નોંધાવ્યો છે. જ્યારે હાજી જુમા રૃંઝાએ પણ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. તેની સામે અને હરદાસ હાજા સુવા નામના વૃદ્ધે પણ બાર બોરની ડબલ બેરલની બંદૂકમાંથી ભડાકો કર્યાે હતો. આ બંને આસામી સામે પણ એસઓજી એ કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial