Advertisement
Author: નોબત સમાચાર

રાજય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘરભાડા ભથ્થુ ચૂકવવા રજુઆત

ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ધોરણે ઘર ભથ્થુ ચૂકવવામાં આવે તેવી માંગણી રાજયના મુખ્ય મંત્રી સમક્ષ કરવામાં આવી છે.

ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત અને માંગણી કરતા જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રના ધોરણે એચ.આર.એ. આપવાનો તા. ૧૨-૧૦-૨૦૨૨થી ઠરાવ કરાયો છે.

જે મુજબ કેટેગરી વાઈસ વિવિધ શહેરોને એકસ, વાય અને ઝેડ કેટેગરી મુજબ અનુક્રમે ૨૪, ૧૬ અને ૮ ટકા એમ.આર.એ. ચુકવવામાં આવે છે. જયારે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારીનો દર ૫૦ ટકા થયો છે. જે ધ્યાને લઈ ૩૦, ૨૦ અને ૧૦ ટકા એચ.આર.એ. ચુકવવામાં આવે છે.

આથી રાજય સરકારે પણ ૩૦, અને ૨૦ અને ૧૦ ટકાના દરે મોંઘવારી ભથ્થુ ચુકવવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh