Advertisement
Author: નોબત સમાચાર

નેશનલ હેરાલ્ડ કેસ સંદર્ભે જામનગરમાં ભાજપની રેલીઃ રાહુલ ગાંધીના પૂતળાનું દહ્ન

ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, ડે. મેયર, ચેરમેન, ભાજપના હોદ્દેદારો જોડાયા

                                                                                                                                                                                                      

જામનગરમાં ગઈકાલે ભાજપ દ્વારા રેલી કાઢી રાહુલ ગાંધીના પૂતળાનું દહ્ન કર્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈ.ડી.એ ચાર્જશીટ રજૂ કર્યું હતું. કેન્દ્રિય એજન્સી ઈ.ડી. દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ રજૂ કર્યું છે, ત્યારે ગઈકાલે જામનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ગઈકાલે ભાજપ કાર્યાલયથી રેલી કાઢવામાં આવી હતી અને લાલબંગલા સર્કલમાં રેલી પહોંચ્યા પછી ત્યાં રાહુલ ગાંધીના પૂતળાનું દહ્ન કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા આગેવાનો-કાર્યકર્તાઓ દ્વારા હાથમાં પ્લેકાર્ડ, સૂત્રો લખેલા બોર્ડ પણ રાખ્યા હતાં અને રાહુલ ગાંધી વિશે નારા લગાવ્યા હતાં. આ રેલી અને પૂતળા દહ્નના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા, ભાજપના મહામંત્રી મેરામણ ભાટુ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડો. વિમલ કગથરા, ભાજપના કોર્પોરેટરો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh