Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વનાથ વ્યાયામ મંડળમાં
જામનગર તા. ૧૮: જામનગરના ૯૦ વર્ષથી શારીરિક સુસજ્જતા માટે ચાલતા વિશ્વનાથ વ્યાયામ મંડળમાં વર્ષોની પરંપરા મુજબ હનુમાન જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વનાથ વ્યાયામ મંડળ માટે રાજમાતા ગુલાબકુંવરબાએ વિશાળ જગ્યા આપી હતી, જ્યાં સૌ પ્રથમ રામદૂત હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષોથી ભગવાન હનુમાનજીની આ પ્રાચીન મૂર્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
હનુમાન જયંતીના પાવન પર્વના દિવસે મંડળના સભ્યો દ્વારા હનુમાનજી સનમૂખ સવારે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજે મંડળના સભ્યો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં મંડળના સભ્યો ભક્તિભાવ સાથે સહભાગી થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial