Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુસ્તક પરિચય
શ્રી હરીશભાઈ રમણીકલાલ હરખાણીએ એક અનોખી ઢબે અને નવતર અભિગમ સાથે મુખપૃષ્ઠ સહિત લગભગ ૬૦ પાનાની પ્રસ્તુત કરેલી આ પુસ્તિકામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે સંતો દ્વારા લખાયેલા વિવિધ ધાર્મિક પુસ્તકો તથા સંતો-મહંતોના પ્રવચનો સાંભળીને ૧૦૦૮ સદ્વાક્યો લખ્યા છે. બીજી દૃષ્ટિએ એવું કહી શકાય ૧૦૦૮ જેટલા આ સદ્વાક્યો સંખ્યાબંધ સંતો-મહંતો-મહાપુરૂષોની દૃષ્ટિએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સારાંશ વર્ણાવે છે. લેખકે આ પુસ્તકમાં કેટલાક રસપ્રદ આંકડાઓ પણ રજૂ કર્યા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ક્યા અધ્યાયમાં કોણે કેટલા શ્લોક બોલ્યા, તેના આંકડાઓ છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ, સંજય, અર્જુન અને ધૃતરાષ્ટ્ર દ્વારા બોલવામાં આવેલા અધ્યાયવાર શ્લોકોની સંખ્યા પ્રસ્તુત થઈ છે. શ્રીમદ્ ભાગવત ગીતાના પાંચ અધ્યાય એકલા ભગવાન શ્રીકૃષ્ણના મૂખે જ બોલાયેલા હોવાની માહિતી આ૫ેલ છે.
કોપીરાઈટના આ યુગમાં આ પુસ્તિકાના લેખકે પોતે પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ પુસ્તિકા પ્રસિદ્ધ કરવાનો તમામ લોકોને અધિકાર છે, અને કોઈપણ વ્યક્તિ આ પુસ્તિકા પ્રકાશિત કરી શકે છે. આ નવતર પદ્ધતિથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને જન-જન સુધી પહોંચાડવાનો રસપ્રદ પ્રયાસ અભિનંદનને પાત્ર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial