Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયાઃ શાંતિવન સ્મશાનગૃહમાં રીનોવેટેડ હોલનું કનકેશ્વરી દેવીના હસ્તે લોકાર્પણ

ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૨૬: ભાટીયાના શાંતિવન સ્મશાનગૃહમાં સ્વ. લીલાધર ભોગાયતા ૫રિવાર (હસ્તેઃ હિતેશભાઈ) દ્વારા હોલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ હોલનું લોકાર્પણ કનકેશ્વરી દેવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય ધારાસભ્ય પબુભા માણેક, દ્વારકાદાસભાઈ રાયચુરા, ઈશ્વરભાઈ જાખરીયા, ઉપાસનાબેન ઠક્કર, નારણભાઈ કરંગીયા, વિઠ્ઠલભાઈ સોનગરા, લક્ષ્મણભાઈ આંબલીયા, કારાભાઈ ધ્રેવાડા, વિઠ્ઠલાભાઈ મશરૂ વગેરેના હસ્તે કરાયું હતું. સ્વાગત પ્રવચન સ્મશાન કમિટીના નિલેશભાઈએ કર્યું હતું. કનકેશ્વરી દેવી, કથાકાર અરૂણભાઈ ભટ્ટ, સંદીપભાઈ આરંભડીયા, સંજયભાઈ આરંભડીયા, નટુભાઈ રાજ્યગુરૂ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh