Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા
જામનગર તા. ૧૬ઃ જામનગર જિલ્લાના ભાજપના લગભગ ૧પ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ અન્વયે નોટીસ પાઠવાઈ છે અને તેમને ખુલાસા કરવા જણાવાયું છે. કદાચ આ તમામને એક તક આપવામાં આવે તેમ પણ જાણવા મળે છે, જો કે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ આવું કાંઈ નહીં હોવાનું જણાવે છે.
તાજેતરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ હતી. ભલે જામનગર જિલ્લામાં ભાજપના કેટલાક આગેવાનોએ પક્ષમાં નિષ્ક્રિયતા દાખવી હતી. તો કેટલાક 'ઝાડુ' પકડીને સાઈડમાં બેસી ગયા હતાં. પક્ષના નિરિક્ષકો ચૂંટણી ટાંકણે જામનગરમાં હતાં તેમણે આ બાબતનો અહેવાલ પ્રદેશ ભાજપ અધ્યક્ષને કર્યો હતો. જેના રિપોર્ટના આધારે પક્ષ દ્વારા ૧પ જેટલા કાર્યકર્તાઓને નોટીસ પાઠવવામાં આવી હતી અને ખુલાસા માંગવામાં આવ્યા છે, અને પાંચ દિવસમાં જવાબ રજૂ કરી દેવાનો આદેશ થયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. જેમાં ૧પ ભાજપના આગેવાનમાં જામનગર જિલ્લાના ભાજપના કેટલાક હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયતમાં એક ઉચ્ચ હોદ્દો ધરાવનાર, અન્ય એક ભાજપના સદસ્યા જોડિયાના અગ્રણી, હડિયાણા, સિક્કા, પસાયા, ફલ્લ ગામના આગેવાન વગેરેનો સમાવેશ થાય છે.
જો કે આ બાબત અતિ ગુપ્ત રાખવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા પણ આવું કહી નહીં હોવાનું જાણવા મળે છે, પરંતુ કડક પગલાં લેવાશે તો સમગ્ર વિગતો પ્રકાશમાં આવી જશે, પરંતુ જો આ તમામને એક તક આપવામાં આવશે નો પણ ઠપકો આપી જવા દેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag