Advertisement
Author: નોબત સમાચાર

ચઢત ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિને અઢાર મહિનાની જેલસજા

જામનગર તા.૧૬ ઃ જામનગરના એક મહિલાએ પતિ પાસેથી અઢાર મહિનાનું ચઢત ભરણપોષણ મેળવવા અદાલતમાં અરજી કરતા અદાલતે ચઢત રકમ ન ચૂકવનાર પતિને ૧૮ મહિનાની કેદની સજા ફટકારી છે.

જામનગરના જયોતિકાબેન ઉર્ફે શ્રુતિબેનના લગ્ન મુંબઈના હરેશભાઈ મોહનલાલ ચૌહાણ સાથે થયા પછી આ દંપતીને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તેઓ વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતાં પિયર પરત ફરેલા શ્રુતિબેને જામનગરની અદાલતમાં ભરણપોષણ મેળવવા અરજી કરી હતી.

તેણીને દર મહિને રૃા.૫ હજાર ભરણપોષણ પેટે ચૂકવવા પતિને હુકમ કર્યાે હતો. તે પછી અઢાર મહિનાનું ભરણપોષણ ચઢત કરી દેવાતા શ્રુતિબેને કુલ રૃા.૯૧ હજારની વસૂલાત માટે અરજી કરી હતી. અદાલતે ચઢત રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિને અઢાર મહિનાની કેદનો હુકમ કર્યાે છે. અરજદારણ તરફથી વકીલ મનોજસિંહ ભટ્ટી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh