Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના હાપામાં આવેલ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સલંગ્ન સેવાભાવી સંસ્થાઓ પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન ક્ષેત્ર હોલ તથા મંગળા વિઠ્ઠલેશ ગૌશાળા, જલારામ મંદિરના ઉપક્રમે મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે સતત ત્રીજા વરસે ગૌમાતા માટે ગૌચારા અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને આયોજકોના સેવાકાર્યોને બિરદાવ્યા હતાં. આ ઉપરાંત આવતીકાલે તા. ૧૭-૧-ર૩ ના અન્ન ક્ષેત્રની સ્થાપનાની ઉજવણી નિમિત્તે ૧૧૧ પ્રકારના રોટલાનો ૧૧ મી વખત અન્નકોટ યોજવામાં આવ્યો છે. આ રોટલા અન્નકોટના દર્શન-પ્રસાદનો લાભ લેવા આયોજક સંસ્થાઓએ સૌ જલારામ ભક્તો તથા ધર્મપ્રેમીઓને અનુરોધ કર્યો છે. ગૌચારા અન્નકોટની વિવિધ વાનગીઓ શ્રી જલારામ બાપા સમક્ષ ધરવામાં આવી હતી અને ત્યારપછી ગૌમાતાને આરોગવા માટે બુફે જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag