Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ખીજડિયા પક્ષી અભિયારણમાં પક્ષી ગણતરી કરાઈ

દેશ-વિદેશથી મહેમાન બનતા

જામનગર તા. ૧૬ઃ જામનગર નજીકના વિશ્વ વિખ્યાત ખીજડિયા પક્ષી અભિયારણમાં બે દિવસ માટે પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહિં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે. ગતા. ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન ખીજડિયા પક્ષી અભિયારણમાં ૧૧ ઝોન માટેની ૧૧ ટીમ બનાવીને પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી.

નાયબ અને સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગરના આર. સેન્થીલકુમાર, મદદનીશ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક આર.એમ. પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) ખીજડિયા દક્ષાબેન વધાસિયા, જોડિયાના આરએફઓ વાય.એમ. જાડેજા, આરએફઓ (ખંભાળિયા-ભાટિયા) જી.કે. ડાંગર, વગેરે સહિતનાઓ દ્વારા આ પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્ટાફ અને સેવાભાવી યુવકો પણ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh