Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પ૧ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૦ ફસાયા
જામનગર તા. ૧૬ઃ જામનગરમાં મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગબાજોએ ખૂબ પતંગ ચગાવ્યા, પરંતુ તેમાં પતંગની દોરીથી આકાશમાં વિહરતા ૮૦ થી વધુ પક્ષીઓ દોરમાં ફસાયા હતાં તેમાંથી ત્રણેક કબૂતરના મૃત્યુ થયા હતાં. અન્ય ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. તેમાંથી પણ અનેક પક્ષીને ગગનમાં વિહરતા કરવામાં આવ્યા હતાં.
જામનગરમાં મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરજનોએ ધાબા ઉપર ખૂબ પતંગ ચગાવ્યા હતાં, પરંતુ લોકોની આ મજા ગગનમાં વિહરતા પક્ષીઓ માટે સજા સાબિત થઈ હતી.
શનિવારે પતંગની દોરીથી લગભગ પ૧ પક્ષીઓને ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્ત પક્ષીઓને વન વિભાગ તેમજ જુદી જુદી સેવાભાવી સંસ્થાઓના સેવાભાવીઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોમાં હોલો, પેલીકન, કબૂતર, બગલો વગેરેનો સમાવેશ થાય છે. આ પ૧ પક્ષીમાંથી ત્રણ કબૂતરને વધુ ઈજા થતાં તેના મૃત્યુ થયા હતાં, જ્યારે અન્ય તમામ ઘાયલ ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.
તેવીજ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૦ જેટલા પક્ષીઓ પતંગની દોરીમાં ફસાયા હતાં જેમાંથી ૧ર પક્ષીને ઈજા પહોંચતા તેમને સારવાર આપવામાં આવી હતી. જેમાં કબૂતર, કોયલ વગેરે પક્ષીનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag