Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નશાની આદત ધરાવતા પ્રૌઢનું મોતઃ
જામનગર તા. ૧પઃ જામનગરની ફોરેસ્ટ કોલોની પાસે રહેતા એક પ્રૌઢ ગઈકાલે સ્મશાન ચોકડી પાસેથી જતા હતા ત્યારે બેશુદ્ધ બની ગયા પછી મૃત્યુ પામ્યા છે. તેઓ દારૂનો નશો કરવાની આદત ધરાવતા હતા અને કોઈ બીમારીથી મૃત્યુ પામ્યાનું જાહેર થયું છે. ઓખાના દરિયામાં પડી જતાં મૂળ બનાસકાંઠા જિલ્લાના યુવકનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને દારૂ પીવાની આદત ધરાવતા ઓધવજીભાઈ મગનભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.પપ) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે એકાદ વાગ્યે સ્મશાન ચોકડી નજીકથી જતા હતા ત્યારે કોઈ બીમારીના કારણે બેશુદ્ધ બની ગયા પછી સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. અશોકભાઈ મગનભાઈએ પોલીસને જાણ કરી છે.
ઓખાથી ૨૦ કિલોમીટર દૂર આવેલા શામળાસર-મેંદરડા જેટી નજીક દરિયામાં ગયા મંગળવારે સાંજે મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધાડા ગામના વાહજીભાઈ બાજુજી ઘોરી નામના પિસ્તાલીસ વર્ષના યુવાન કોઈ રીતે દરિયામાં પડી જતાં ડૂબી ગયા છે. તેઓનું મૃત્યુ નિપજ્યાનું ધારજીભાઈ બાજુજીએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial