Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય સૈન્યનો જુસ્સો વધારવા જામનગરમાં ભાજપની તિરંગા યાત્રા યોજાઈ

ઓપરેશન સિંદૂર હેઠળ પાક. સેનાને જડબાતોડ જવાબ આપનાર જવાનોને બિરદાવાયા

                                                                                                                                                                                                      

જામનગરમાં ભાજપ દ્વારા ગઈકાલે સાંજે તિરંગા યાત્રા યોજાઈ હતી. પાક. સૈનિકોને ભારતીય સૈનિકો દ્વારા જડબાતોડ જવાબ અટ્ઠાપવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકોનો જુસ્સો વધારવાના ભાગ રૂપે ભાજપ દ્વારા તિરંગા-બાઈક યાત્રા યોજાઈ હતી. જામનગરમાં આયોજીત તિરંગા-બાઈક યાત્રામાં શહેર ભાજપના અધ્યક્ષા બિનાબેન કોઠારી, મેયર વિનોદ ખીમસૂર્યા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જીતુભાઈ લાલ, અન્ય કોર્પોરેટરો, પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતાં. આગેવાનો, કાર્યકરોએ હાથમાં તિરંગો સૂત્રોના પ્લે કાર્ડ ધારણ કર્યા હતાં અને તળાવની પાળેથી શરૂ થયેલા આ યાત્રા ઓશવાળ હોસ્પિટલ, હવાઈચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, દિપક સિનેમા, બેડીગેઈટ, લીમડાલાઈન, ગુરુદ્વારા ચોકડી, જી.જી. હોસ્પિટલ, હિંમતનગર, આનંદનગર, પટેલ સમાજથી ડી.કે.વી. સર્કલ પાસે પૂર્ણ થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh