Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતમાં સરપંચ-તલાટી મંત્રીઓ માટે સિવિલ ડિફેન્સ અંગે તાલીમ

નાગરિક સંરક્ષણ કચેરી અને ફાયર વિભાગ દ્વારા આપાતકાલિન પરિસ્થિતિના સમયે સાવચેતી અંગે વિસ્તૃત સમજણઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા પંચાયતમાં ૧૦ર જેટલા ગામડાઓના સરપંચશ્રીઓ અને તલાટીમંત્રીશ્રીઓ માટે સિવિલ ડીફેન્સ અંગે બેઝિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નાગરિક સંરક્ષણની કચેરી તથા ફાયર વિભાગ દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજુતી આપી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં સ્વબચાવની પદ્ધતિઓથી કઈ રીતે વાકેફ કરવા તે હતો. આ તાલીમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપા કોટકે જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. આ તાલીમાં નાયબ નિયંત્રક શ્રી વી.કે. ઉપાધ્યાય તથા ચીફ વોર્ડન શ્રી કમલેશ પંડ્યા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર, તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ-મિલકત બચાવ સેવા, પુરવઠા સેવા, અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજુતી આપી કેવા પ્રકારના પગલાં લેવા તેમજ સિવિલ ડીફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે જામનગર જિલ્લા પંચાયત ઉપરાંત વિવિધ તાલુકાઓમાં પણ નાગરિક સંરક્ષણ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમમાં પી.આઈ. એમ.વી. ખીલેરી, સેક્ટર વોર્ડનો ચેતનાબેન માણેક, કિશોરભાઈ ત્રિવેદી, ભરત કટેશિયા, નિશાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh