Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ જામનગરના ગુલાબનગર નજીક રેલવે ઓવરબ્રિજ નીચે ગઈકાલે યુવાનનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનને સામાન્ય બાબતે બોલાચાલી પછી બે શખ્સે ચાલુ ટ્રેને ફેકી દઈ તેની હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે. બંને આરોપીને રેલવે પોલીસે પકડી લીધા છે.
જામનગરના ગુલાબનગર નજીકના રેલવે ઓવરબ્રિજ નીચે આવેલા રેલવે ટ્રેક પાસે ગઈકાલે સવારે એક અજાણ્યા યુવાનનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. દોડી ગયેલી રેલવે પોલીસની ટીમે પીઆઈ વેગડાની સૂચનાથી તપાસ શરૂ કરી હતી. જેમાં આ યુવાનને કોઈ ટ્રેનમાંથી ફેકી દેવામાં આવ્યો હોવાનું તારણ નીકળ્યું હતું. તે દિશામાં શરૂ કરાયેલી તપાસમાં ખૂલ્યા મુજબ મૃતક વડોદરામાં રહેતા હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી (ઉ.૩પ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા આ યુવાનને મંગળવારે રાત્રે પસાર થતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાંથી ફેકી દેવાયાનું ખૂલ્યું હતું. દોડી આવેલા વડોદરાના પાઉલભાઈ મથુરભાઈ મકવાણાએ પોલીસને જણાવ્યા મુજબ પોરબંદરથી હિતેશભાઈ આ ટ્રેનમાં વડોદરા જવા માટે નીકળ્યા હતા.
આ યુવાનને એક ડબ્બામાં બેસવા માટે બે શખ્સ સાથે બોલાચાલી થતાં ચાલુ ટ્રેને ધક્કો મારી હિતેશભાઈને ફેકી દેવાયા હતા. પોલીસે પાઉલભાઈની ફરિયાદ પરથી બંને આરોપીને પકડી પાડ્યા છે અને હત્યા અંગે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial