Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં ખાનગી બસ ખાઈમાં ખાબકતા સાત મુસાફરોના મૃત્યુઃ અનેક ઈજાગ્રસ્ત

યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

                                                                                                                                                                                                      

દહેરાદૂન તા. ૩૦: ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતા સાત ના મૃત્યુ થયા છે અને અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

ઉત્તરાખંડમાં આજે એક ભીષણ દુર્ઘટના સર્જાઈ છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાના અહેવાલ છે.

આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આજે સવારે ભીકિયાસૈન-રામનગર માર્ગ પર આવેલા શિલાપાની પાસે સર્જાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શિલાપાની પાસે ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ સીધી ઊંડી ખીણમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતાં અને પોલીસ તથા એસડીઆરએફની ટીમને જાણ કરી હતી. અત્યાર સુધીમાં સાત મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે.

બસમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમને ખીણમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને અન્ય કોઈ મુસાફરો દબાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh