Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર વર્ષે અષાઢ મહિનાના પહેલા સોમવારે નિભાવાતી પરંપરા
જામનગર તાલુકાના આમરા ગામમાં દર વર્ષે કુવામાં રોટલો નાંખીને વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. આજે પણ આ વિધિ કરવામાં આવી હતી. જામનગર તાલુકાના આમરા ગામમાં પ્રતિ વર્ષ વરસાદનો વરતારો જાણવામાં આવે છે. આજે સવારે પણ ગામના આગેવાનો, લોકો એકત્ર થયા હતાં. અને પરંપરા મુજબ સતવારા સમાજમાં ઘરે રોટલો બનાવાયો હતો. અને ગ્રામજનો ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે નિકળ્યા હતાં જેમાં એક વાણંદ સમાજના પરિવારના વ્યકિતએ રોટલો ધારણ કરીને ભમ્મરીઆ કુવામાં પધરાવ્યો હતો. અને આ વર્ષ ૧૬ આની એટલે કે સારો વરસાદ થશે તેમ જોવા મળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial