Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જતા ચાર વ્યક્તિના નિપજ્યા હતા મૃત્યુઃ
જામનગર તા. ૩૦: જામનગર-ખંભાળિયા રોડ પર ગાગવા પાટીયા પાસે બનેલા હિટ એન્ડ રનના એક બનાવમાં ચાર વ્યક્તિના મૃત્યુ થયા હતા. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આ આરોપી જ મોટર ચલાવતો હતો. તે સાબિત થઈ શકતું નથી તેવી દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની મુક્તિ ફરમાવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી નજીક આવેલા ગાગવા ગામના પાટીયા પાસેથી મોરબીના પદયાત્રી સંઘમાં જોડાયેલા કેટલાક વ્યક્તિઓ પસાર થતા હતા ત્યારે એક મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેની ઠોકરે ચઢી ગયેલા કરશનભાઈ ભગવાનજી ભાડજા, પરેશ પ્રભુભાઈ લીખીયા, રમેશભાઈ ભાડજા, પ્રાણજીવન ઠોરીયા નામના ચાર વ્યક્તિના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા હતા.
આ અકસ્માતમાં અન્ય કેટલાક વ્યક્તિને ઈજા થઈ હતી. અકસ્માત સર્જી મોટરચાલક નાસી ગયો હતો. કેવીન રમેશભાઈ ભાડજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એક યુવતીએ ઉપરોક્ત અકસ્માત નીહાળ્યો હતો અને તેણીએ મોટરનો નંબર પોલીસને આપ્યો હતો. પોલીસે નંબર પરથી શરૂ કરેલી તપાસમાં મોટરચાલક અર્જુનજી અમરાજી ઠાકોરની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં આરોપી પક્ષે દલીલ કરી હતી કે, બનાવ અંધારામાં બન્યો હતો અને મોટરચાલક કોણ હતો? તે કોઈના નિવેદનમાં જણાવાયું નથી. અનુમાનના આધારે આરોપીને સજા આપી શકાય નહીં. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી અર્જુનજી અમરાજીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial