Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિઃ
ધ્રોલની આર્યવ્રત શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યોજાયો હતો. શાળાના ધો. ૧૦ અને ૧૨ ના એ ગ્રેડ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર કુલ ૧૯૧ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ પ્રસંગે શાળા પરિવાર તરફથી વાલીઓ, વિદ્યાર્થીઓ સહિતના ૫૦૦૦ લોકો માટે ભોજન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુવા વિકાસ અધિકારી, શક્તિસિંહ જાડેજા, પ્રિતેશભાઈ પરમાર, પ્રવિણભાઈ ભોજાણી, મહેશભાઈ ભોજાણી, હસમુખભાઈ ભેંસદડીયા, શાળાના આચાર્ય, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નિતિશ આદ્રોજાએ અને આભાર દર્શન અંકિત ભિમાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial