Advertisement
Author: નોબત સમાચાર

માતા તથા પુત્રની બીમારી માટે વ્યાજે પૈસા લીધા પછી રેલવેકર્મીએ કર્યું વિષપાન

ત્રણ વ્યાજખોરે ૧૦ ટકા વ્યાજ માટે પજવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના હાપા પાસે રહેતા રેલવે કર્મચારીએ પોતાની માતા તથા પુત્રની બીમારી માટે ત્રણ શખ્સ પાસેથી રૂ.પ લાખ દસ ટકાના વ્યાજે લીધા પછી વ્યાજ ન ચૂકવી શકાતા ત્રણેય શખ્સે હેરાન-પરેશાન કરી નાખતા કંટાળી ગયેલા રેલવે કર્મચારીએ ગઈકાલે ઝેરી પ્રવાહી પી લેતા તેઓને દવાખાને ખસેડાયા છે. પોલીસે નિવેદન પરથી ત્રણેય વ્યાજખોર સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર નજીકના હાપા પાસે યોગેશ્વરધામમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા પ્રકાશભાઈ ચનાભાઈ પરમાર નામના યુવાનના માતા બીમાર પડી જતાં તેઓએ થોડા સમય પહેલાં ગાયત્રી ચોક પાણીના ટાંકા પાસે વસવાટ કરતા હરપાલસિંહ જાડેજા પાસેથી રૂ.દોઢ લાખ દસ ટકાના વ્યાજે લીધા હતા. ત્યારપછી ગુરૂદ્વારા સર્કલ પાસે રહેતા મોન્ટુ પાસેથી રૂ.૧ લાખ દસ ટકાના વ્યાજે મેળવ્યા હતા.

પ્રકાશભાઈના પુત્રને પણ મગજની બીમારી થતાં તેઓએ જયંતીભાઈ ભાનુશાળી પાસેથી રૂ.અઢી લાખ દસ ટકાના વ્યાજે લીધા હતા. ત્યારપછી પ્રકાશભાઈ વ્યાજ ચૂકવી ન શકતા હરપાલસિંહ, મોન્ટુ તથા જયંતીભાઈએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

ઉપરોક્ત ત્રાસથી કંટાળી જઈ ગઈકાલે સાંજે પ્રકાશભાઈએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તે દૃશ્ય નિહાળી તેમના પત્નીએ ૧૦૮ને જાણ કરી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં પ્રકાશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યા પછી ત્રણેય શખ્સ સામે બીએનએસની કલમ ૩૫૧ (ર), મની લેન્ડર્સ એક્ટની કલમ ૩૯, ૪૦, ૪૨ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh