Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાનો આક્રોશઃ
ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયા વિસ્તારના આગેવાન તથા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યના કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ રાજયના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને રાજયના કૃષિમંત્રી તથા રાજયના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચતા હોય તાકીદે કૃષિમંત્રીનું રાજીનામું લેવા તથા ખેતી નિયામકને ડીસમીસ કરવા માંગ કરાઈ છે.
તેમણે જણાવેલ કે રાજ્ય સરકાર દ્વારા પાક વીમા યોજના બંધ કરી દેવાઈ છે. ખોટી અને ભૂલ ભરેલી જમીનની માપણી સંપૂર્ણ રદ્ કરવા કોંગ્રેસ ૧૪/૧૫ વર્ષથી પ્રયત્ન કરી રહી છે. જયારે જરૂર હોય ત્યારે જ ખાતરની અછત થાય!! વિધાનસભામાં કૃષિ મંત્રી જાહેરમાં કહે નેનો ખાતરની બોટલ કોઈ વિક્રેતા આપે તો તેને જેલ ભેગા કરીશું અને ખાતર કંપનીવાળા ફરજીયાત આપે છે અને કૃષિ મંત્રી મૌન!! આઠ કલાક વીજળી પણ નહીં, દિવસે વીજળી નહીં !!
કિટ વિતરણમાં કૌભાંડ!!?
સરકાર દ્વારા વર્ષોથી જરૂરત મંદ લાખો ખેડૂતોને ખાતર દવા, બિયારણની કીટ આપવામાં આવે છે. એ.જી.આર.ટુ જનરલ તમામ ખેડૂતો માટે, એ.જી.આર.ટુ એસ.ટી. ખેડૂતો માટે એ.જી.આર. ૪ એસસી ખેડૂતો માટે તથા કઠોળ પાકો તથા તેલીબીયા પાકો માટે કીટો અપાય છે. મે માસના અંત સુધીમાં આ કીટો આપવાની હોય તેને બદલે જુન માસનો આજે અંત થયો ત્યાં સુધી કીટો અપાઈ જ નથી!! નવાઈની વાત છે કે હાલ તમામ ખેડૂતોએ વાવણી પૂર્ણ કરી દીધી છે ત્યારે ઓનલાઈન આ કીટ માટે અરજી કરવાનું હવે કહેવાય છે!! કૃષિ મંત્રી તથા ખેતી નિયામક વાવણીની કીટ કાપલીમાં આપવા માંગે છે કે શું? તાકીદે કૃષિ મંત્રીનું રાજીનામું ખેતી નિયામકને ડિસમીસ કરી બન્નેને જેલમાં મોકલવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial