Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૩૦: સામાજિક કાર્યકરો મુસ્તાક સોઢા તથા સાહીલ રાયચુરાએ જિલ્લા કલેકટરને રજૂઆત કરીને જિલ્લામાં રાશનકાર્ડમાં પાંચ વર્ષથી નાના બાળકોના કે.વાય.સી. ના હોય તો તેમના નામનું અનાજ વાજબીભાવની દુકાનોમાંથી આપવા માંગણી કરાઈ છે.
તેમણે જણાવેલ કે હાલ દ્વારકા જિલ્લામાં વાજબી ભાવની દુકાનોમાં જે બાળકો પાંચ વર્ષથી નાના હોય તેમના કે.વાય.સી. ના થયા હોય તો તેમનું અનાજ આપવામાં આવતું નથી. નાના બાળકો પાંચ વર્ષથી નીચેના હોય તેમનું અનેક વાર કે.વાય.સી. માય રાશન એપ્લિકેશનમાં કરવા છતાં થતું નથી, જેના કારણે આ બાળકના ભાગનું રાશન કાર્ડમાં મળતું નથી, જેના કારણે ગરીબ પરિવારોને મોટી તકલીફ થતી હોય જે નાના બાળકો પાંચ વર્ષથી નીચેના હોય અને તેમનું કે.વાય.સી. ના થયું હોય તો કુટુંબમાં બાળક જન્મના અન્ય પૂરાવા ધ્યાને લઈને તેના ભાગનું અનાજ વાજબી ભાવની દુકાનોમાંથી આપવા રજૂઆતો કરવામાં આવી હતી જેથી ગરીબોને રાહત થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial