Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદના યુવાનને વીજ આંચકો ભરખી ગયોઃ
જામનગર તા. ૩૦: કાલાવડના ઉમરાળા ગામમાં ભાગમાં ખેતર રાખનાર એક પ્રૌઢ ગુરૂવારે ગુમ થયા પછી શનિવારે નદીના કાંઠેથી ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જ્યારે ઈલેકટ્રીક શોર્ટ લાગતા અમદાવાદના એક યુવાન મોતને શરણ થયા છે.
કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં આવેલા કિરીટસિંહ ટપુભા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના બારીયા દેવગઢ તાલુકાના સાગટાળા ગામના વતની ગોપસિંગભાઈ અભેસિંગભાઈ નાયક નામના ૫૯ વર્ષના પ્રૌઢ ભાગમાં રાખેલી વાડીએથી ગામમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા પછી બે દિવસ સુધી ઘેર પરત નહી ફરતા તેમના પરિવાર જનોએ ગોપસીંગભાઇની તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન મોજ નદીના કાંઠા પાસેથી આ પ્રૌઢ બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા તેઓને સારવાર માટે કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તબીબોએ આ પ્રૌઢનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. જશવંતભાઈ નાયકે પોલીસને જાણ કરી છે.
જામનગરની અંબર ચોકડી પાસે આવેલા એક બિલ્ડિંગમાં વીવો કંપનીના સર્વિસ સેન્ટરમાં ગયા ગુરૂવારે રાત્રે નવેક વાગે અમદાવાદના સરખેજ નજીકના ઉજાલા સર્કલ પાસે રહેતા હિતેન્દ્રભાઈ રણછોડભાઈ વસોયા નામના ૪૦ વર્ષના યુવાન ઈલેક્ટ્રીક કામ કરતા હતા ત્યારે તેઓને વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. બોટાદના ભરવાડ ગામમાં રહેતા વિનોદભાઈ રણછોડભાઈ વસોયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial