Advertisement
Author: નોબત સમાચાર

'ગંભીરા બ્રિજ' જેવી દુર્ઘટના અહીં પણ ગમે ત્યારે સર્જાય તેવી દહેશત

રંગમતિ-નાગમતિ નદી પાસે પુલ જર્જરિત

                                                                                                                                                                                                      

 

ગુજરાતમાં વડોદરા પાસે ગંભીરા બ્રિજ તૂટી જવાની અને તેર લોકોના મૃત્યુની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં અરેરાટી ફેલાવી દીધી છે. ગુજરાતમાં નદી-નાળા પરના નાના-મોટા પુલ-બ્રિજ વગેરેની મજબૂતાઈ અંગે સવાલો પેદા થયા છે. તેમાંય છેલ્લા નવ વર્ષના સમયગાળામાં જ ર૧ જેટલા પુલ તૂટી જવાની ઘટનાઓ બની છે. જેમાંથી કેટલાક તો છેલ્લા પાંચ-સાત વર્ષમાં જ બન્યા હતાં કે રીપેર થયા હતાં. જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ રંગમતિ-નાગમતિ નદી પરના બ્રિજની હાલત પણ ખૂબ જ જર્જરિત છે. આ પુલના પીલરો ખખડધજ અને બિસ્માર થયા છે. પુલની નીચેના ભાગના સ્લેબમાં તેમજ રોડ પર ગાબડા પડી ગયા છે. બન્ને તરફથી રેલીંગો તૂટી ગઈ છે. પુલના માર્ગ ઉપર સળિયા પણ બહાર આવી ગયા છે. આ પુલ વર્ષો જુનો હોય, તેની તાકીદે મરામત કરવાની જરૂર છે. આ પુલની અત્યંત જર્જરિત અને જોખમી સ્થિતિ અંગે રજૂઆતો પણ થઈ છે. તેમ છતાં કોઈ કરતા કોઈ કાર્યવાહી થઈ નથી. આ બ્રિજ પણ માનવસર્જિત દુર્ઘટનાનો ભોગ બને અને જાન-માલની નુક્સાની થાય તેવી રીતે ઓચિંતો ક્ષતિગ્રસ્ત થાય તો? સંબંધિત તંત્ર દ્વારા તાકીદે ટેકનિકલ ચકાસણી કરી પુલને મજબૂત કરવા, રીપેરીંગ કરવા, રેલીંગો વ્યવસ્થિત કરવાની તાતી જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh