Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ ગ્રીન ખંભાળીયા ઝુંબેશના દાતાઓનો યોજાશે સન્માન સમારોહ

આગામી રવિવારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧:  ખંભાળીયામાં એકાદ વર્ષ પહેલા સ્થાનિક આગેવાનો દ્વારા ખાસ ઝુંબેશ કરીને ગ્રીન ખંભાળીયાના નામથી ખંભાળીયા તથા આસપાસના વિસ્તારોમાં ૨૦૦૦ વૃક્ષો વાવવા માટે દાતાઓની મદદથી આયોજન થયું હતું.

આ આયોજન સફળ થતાં દાતાઓ દ્વારા લાખો રૂપિયાનો સહયોગ મળતા ત્રણ વર્ષ માટે વૃક્ષો વાવીને ઉછેરવા સુધીની જવાબદારી સદ્ભાવના ટ્રસ્ટ (રાજકોટ) ને સોંપીને બે હજાર ના બદલે ૨૩૦૦ ઉપરાંત વૃક્ષો વવાઈ જતાં દાતાઓના સન્માનનો કાર્યક્રમ તા. ૧૩-૭-૨૫ને રવિવારના ખંભાળીયા પાલિકા ટાઉન હોલમાં યોજાયો છે. સાંજે ૬ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સાંસદ પૂનમબેન માડમ તથા મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેકટર રાજેશ તન્ના અને પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh