Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય સફાઈકર્મી મહામંડળના મહામંત્રીની રજૂઆત
ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયા શહેરની વસતિ અને વિસ્તારના ધોરણે સફાઈ કામદારોની ભરતી કરવા રાજ્ય સફાઈકર્મી મંડળે માંગ ઉઠાવી છે.
તાજેતરમાં ખંભાળિયા નગરપાલિકાને એ ગ્રેડની બનાવાની સાથે તેનો વિસ્તાર પણ વધારો થયો હતો જેની રાજ્ય સફાઈ કર્મી મહામંડળના મહામંત્રી રમેશ વાઘેલા દ્વારા પાલિકા ચીફ ઓફિસર, જિલ્લા કલેકટર તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને રજુઆત કરીને ખંભાળિયામાં વસતિ તથા વિસ્તારના ધોરણે સફાઈ કામદારોની ભરતી કરવા માંગ કરાઈ છે.
જિલ્લા મથક ખંભાળિયામાં હાલ સફાઈ કામદારોનું સેટઅપ ૪૫ વર્ષ જુનું ૭૯ સફાઈ કર્મીનું છે. સી ગ્રેડની ન.પા.માંથી એ ગ્રેડની ન.પા. બનતા ખૂબ જ વિકાસ થયો હોય તથા હાલ ઓછા અને અપૂરતા સફાઈ કામદારો છે. ખંભાળિયામાં નજીકના ગામો ભળ્યા છે, ત્યાં સોસાયટીઓ પણ વિસ્તરી છે. હાલ દેશભરમાં સફાઈ ઝુંબેશ ચાલી રહી હોય ખંભાળિયામાં પણ આ કાર્ય સારી રીતે કરવા માટે રોજમદાર તથા કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી કરીને વાલ્મિકી સમાજના બેરોજગારોને નોકરી આપવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial