Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ કાનૂન મંત્રી દ્વારા રજૂઆત
જામનગર તા. ૧૧: જામનગરમાં કાલાવડ નાકાનો ૪૦ વર્ષ જુનો પુલ જર્જરિત હાલતમાં છે. તેની મરામત કરાવવા કલેક્ટર, કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગરના કોંગ્રેસ અગ્રણી સિનિયર એડવોકેટ અને રાજ્યના પૂર્વ કાનૂન મંત્રી એમ.કે. બ્લોચએ જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, તાજેતરમાં વડોદરા-પાદરા વચ્ચેના પુલ તૂટવાની ઘટના બની હતી, જેમાં જાહાની થવા પામી હતી. તેમજ વાહનને પણ નુક્સાન થયું હતું.
જામનગરમાં કાલાવડ નાકાનો પુલ ૪૦ વર્ષ પહેલા ગુજરાત સરકાર દ્વારા બનાવાયો છે, અને તે હાલ જર્જરિત છે. જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આ પ્રશ્નને અગત્યતા આપી યુદ્ધના ધોરણે મરામત કરાવવી જોઈએ, નહીં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. આ બાબતે તેમણે રાજ્ય સરકારને પણ પત્ર પાઠવી જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial