Advertisement
Author: નોબત સમાચાર

હાપા સ્થિત ઢોરના ડબ્બામાં અનેક ગૌવંશ મૃત હાલતમાં દેખાતા અરેરાટી

પ્રાણી ક્રુરતા નિવારણ સમિતિના સભ્યે મુલાકાત લેતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના હાપા સ્થિત ઢોરના ડબ્બામાં દરરોજ પ થી ૭ ગૌવંશના મૃત્યુ થતા હોવાથી પશુપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

જામનગરમાં રસ્તે રઝળતા ઢોરને મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવે છે, અને તેને ઢોરના ડબ્બામાં પૂરી દેવામાં આવે છે.

પરંતુ અહિં ઢોરના ડબ્બામાં અપુરતી સુવિધાના કારણે ઢોરની હાલત દયનીય જોવા મળે છે. ખાસ કરીને સ્વચ્છતાનો અભાવ, પશુ ડોક્ટરની ગેરહાજરી, જવાબદાર કર્મચારીની ઘોર બેદરકારી, તાજા જન્મેલ ગૌવંશ માટે અલગ શેડની વ્યવસ્થાનો અભાવ, આવી અનેક સુવિધાના અભાવના કારણે ગૌવંશ મૃત્યુ પામી રહ્યા છે. પ્રાણી ક્રુરતા નિવારણ સમિતિના સભ્ય ચિંતન રાવલએ તાજેતરમાં આ ઢોરના ડબ્બાની મુલાકાત લેતા બીહામણા દૃશ્યો જોવા મળ્યા હતાં. અનેક ગૌવંશ મૃત્યુ પામેલ હાલતમાં નજરે ચઢ્યા છે. આથી મહાનગરપાલિકાના કમિશનરે સત્વરે આ અંગે કડક આદેશ આપવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh