Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નહીં મળે

ફાર્મર રજિસ્ટ્રેશન ન કરાવનાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર જિલ્લામાં ૧,૦૦,૩૪૦ ખેડૂતો પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લે છે, જેમાંથી અત્યાર સુધી ૭૪,૨૬૩ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બાકી રહેલા ૨૫% ખેડૂતોએ ૧૨ જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો આગામી રૂ.  ૨૦૦૦નો હપ્તો જમા થશે નહીં. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવી. કેન્દ્ર સરકારે એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકતા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. રજિસ્ટ્રેશન વગર ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના સહિત અન્ય કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળે. ફાર્મર રજિસ્ટ્રેશનથી ખેડૂતની ઓળખ સ્થાપિત થશે. કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, પી.એમ.કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો લાભ ઝડપથી મળશે. હાલ જામનગર જિલ્લામાં યોજાઈ રહેલા કેમ્પમાં ખેડૂતોએ આધારકાર્ડ, ૮-અ ની નકલ અને આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર સાથે હાજર રહેવું. બહારગામ રહેતા ખેડૂતોએ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવવું. અથવા નજીકના કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તેમ મદદનીશ ખેતી નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh