Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુષ્કર્મની કલમનો કરાયો ઉમેરોઃ
જામનગર તા. ૧૦: જોડીયાના એક પરિવારની ચૌદ વર્ષની પુત્રીનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા દાહોદ જિલ્લાના શખ્સને જોડીયા પોલીસે અમરેલી જિલ્લામાંથી પકડી પાડ્યો છે.
જોડીયા પંથકમાંથી થોડા સમય પહેલાં ચૌદેક વર્ષની એક સગીરાનું અપહરણ કરાયાની ફરિયાદ કરવામાં આવી હતી. તેની તપાસ જોડીયા પોલીસ દ્વારા શરૂ કરાઈ હતી.
તે દરમિયાન આ સગીરાને મૂળ દાહોદના ફતેપુરા તાલુકાના વલુંડા ગામનો વકીલ વિરસીંગ બરજોડ (ઉ.વ.રર) નામનો શખ્સ નસાડી ગયો હોવાની વિગત મળતા તેના સગડ દબાવાયા હતા. જેમાં આ શખ્સ અમરેલીના વડીયા તાલુકાના મોરવાડા ગામની સીમમાંથી મળી આવ્યો છે. આ શખ્સે તે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખૂલતા તેની કલમ ઉમેરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial