Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહકો અને વેપારીઓની સમસ્યા હલ કરવા ઉઠતી માંગણી
જામનગર તા. ૨૫: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયા જેવી નાની રકમના ચલણી સિક્કા તથા નોટની હાલ અછત વર્તાઈ રહી છે. જામનગરની એસ.બી. આઈ. બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ચલણી નોટો અને પરચુરણ આવતી હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવતું ન હોવાથી બેંકમાં આવતા ગ્રાહકો તથા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી બેંકો દ્વારા ગ્રાહકો અને વેપારીઓને નાની રકમના ચલણી સિક્કા અને નોટનું વિતરણ થાય, તે માટે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઈ મજીઠીયા દ્વારા આર.બી. આઈના ગવર્નર, જામનગરના કલેકટર, એસ.બી.આઈ. બેંક (રણજીત રોડ,), અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (માંડવી ટાવર સામે)ને પત્ર પાઠવીને રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial