Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવસ્થાન મંદિરના પીઆઈને મળી બઢતીઃ
ખંભાળિયા તા. ૨૫: રાજ્યમાં ૧૧૬૦૭ ઉમેદવારોને ગઈકાલે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીના હસ્તે એલઆરડીમાં તેઓની થયેલી નિયુક્તિના હુકમો આપવામાં આવ્યા હતા. જેમાં દ્વારકાના ચારેય તાલુકાના ૧૭૪૫ યુવક-યુવતીઓને નિમણૂક હુકમો મળ્યા છે. દ્વારકા સ્થિત મંદિરમાં ફરજ બજાવતા પીઆઈને ડીવાયએસપી તરીકે વડોદરામાં બઢતી આપવામાં આવી છે.
રાજ્યમાં લોકરક્ષક દળમાં નિમણૂક મેળવવા માટે પરીક્ષા આપી ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાંથી ગઈકાલે ૧૧૬૦૭ લોકરક્ષકોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિયુક્તિના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાંથી અંદાજે ૧૭૪૫ યુવક-યુવતીઓને નિમણૂકના હુકમ પ્રાપ્ત થયા છે. આ કર્મચારીઓને સરકારના નવા નિર્ણય મુજબ મનપસંદ જગ્યાએ નિમણૂક મળવા પામશે.
તાજેતરમાં થયેલા બઢતીના આદેશોમાં રાજ્યના કેટલાક પીઆઈને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં દ્વારકા જિલ્લામાં અને ખાસ કરીને દ્વારકા સ્થિત દેવસ્થાન મંદિરમાં ફરજ બજાવતા પીઆઈ પી.એમ. પટેલને પણ ડીવાયએસપી તરીકે બઢતી મળવા પામી છે. તેઓ વડોદરાના કરજણ વિભાગીય પોલીસવડા તરીકે ફરજનિયુક્ત કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial