Advertisement
Author: નોબત સમાચાર

ઈજા અંગે વળતરની રકમ ચૂકવવા જિલ્લા અદાલતનો આદેશ

સિક્કામાં મારામારીની સામસામે ફરિયાદો થયા પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: સિક્કામાં વર્ષો પહેલા થયેલી મારામારીના કેસમાં ઈજા બદલ વળતરની રકમ ચૂકવવા જામનગરની સેસન્સ કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, હાલમાં ભાણવડના જશાપરમાં રહેતા વિનુભાઈ ધીરૂભાઈ રાઠોડ અગાઉ સિક્કા ગામે રહેતા હતાં, ત્યારે તેમને પડોશમાં રહેતા બહાદુર પાલાભાઈ સોલંકી સાથે ઝઘડો થયો હતો, અને આ આરોપીએ વિનુભાઈને માથામાં પાવડાનો હાથો મારી ઈજા કરી હતી.તે પછી સામસામી આઈપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદો થઈ હતી અને આ કેસ સેસન્સ કોર્ટમાં ચાલી જતા બધા આરોપીઓ તક્સીરવાન ઠર્યા હતાં, પરંતુ સેસન્સ કોર્ટે પ્રોબેશનનો લાભ આપી તમામ આરોપીઓને છોડી મૂક્યા હતાં, પરંતુ વિશેષ ઓર્ડર કરીને ગંભીર ઈજા પહોંચાડનાર આરોપી પાલાભાઈને ઈજાગ્રસ્ત થનાર વિનુભાઈને કરેલ ઈજા બદલ રૂા. ૩૦ હજાર ચૂકવી આપવા હુકમ કરતા આરોપીએ આ રકમ અદાલતના આદેશ મુજબ કોર્ટમાં જમા કરાવી હતી. આ રકમ મેળવવા વિનુભાઈ રાઠોડે એડવોકેટ જયદીપ એમ. સોમૈયા મારફત અરજી કરી હતી. તે પછી બહાદુર પાલાભાઈ અવસાન પામ્યા હોવાનો શેરો મારીને મરણનો દાખલો રજૂ થયો હતો. તે પછી અરજદાર તરફથી એડવોકેટ્સ દ્વારા થયેલી રજૂઆતો તથા દલીલોને ગ્રાહ્ય રાખીને જામનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એન.આર. જોષી સાહેબે વળતરની કોર્ટમાં જમા રકમ વિનુભાઈ ધીરૂભાઈ રાઠોડને ચૂકવી આપવાનો ન્યાયિક હુકમ કર્યો હતો. આ કેસમાં અરજદાર તરફથી જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયદીપ એમ. સોમૈયા અને વિનોદકુમાર એ. કોટેચા રોકાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh