Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડોક્ટરને બચાવવા પ્રયાસ કે મેનેજમેન્ટની મિલીભગત ?
જામનગર તા. ૧૮: જામનગરમાં સુમેર ક્લબ રોડ પર આવેલ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્ડિયાક પ્રોસીજરમાં થયેલ ગેરરીતીનાં પ્રકરણમાં આરોગ્ય વિભાગે હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કર્યાની તથા ડો. પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કર્યાનાં ઘટનાક્રમ પછી હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા પત્રકાર પરિષદ બોલાવી સમગ્ર મામલે ખુલાસાઓ કરવામાં આવ્યા હતાં.
ઇન્સ્ટિટ્યૂટનાં મેનેજીંગ ડાયરેક્ટર ડો. કે.એચ.મારકણા સહિતનાં હોદ્દેદારોએ સમગ્ર પ્રકરણમાં ડો. પાર્શ્વ વોરાને દોષી ગણાવી તેનાં ઉપર જ આરોપ લગાવ્વ્યા હતા અને આ મુદ્દે હવે તેમનાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની ઘોષણા કરી હતી.
મેનેજમેન્ટ ડો. પાર્શ્વ વોરા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવાની ઘોષણા કર્યાનાં ૫ દિવસ પછી પણ હજુ કોઈ ફરિયાદ ન નોંધાતા આ પ્રકરણમાં પાછલા બારણે અનેક ગોઠવણ થઇ રહી હોવાનું ચર્ચાય રહૃાું છે.
ઇન્સ્ટિટ્યૂટમાં લોકોનાં જીવ સાથે ચેડા કરવાનાં આટલા મોટા કૌભાંડ પછી મેનેજમેન્ટે પોતાનો બચાવ કરવા માટે તમામ દોષનો ટોપલો ડો. પાર્શ્વ વોરા પર ઢોળી દિધો હતો અને કાયદેસર કાર્યવાહી કરવાની વાત કહી હતી. પરંતુ હજુ પણ આ પ્રકરણમાં મેનેજમેન્ટે ડો.પાર્શ્વ વોરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન નોંધાવતા સમગ્ર કૌભાંડમાં અજાણ અને નિર્દોષ હોવાનો દાવો કરતા મેનેજમેન્ટની નીતિ ઉપર પણ શંકા ઉઠી રહી છે.
બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ડો. પાર્શ્વ વોરાને બચાવવા માટે ગોઠવણો થઇ રહી છે. તો શું આ પ્રકરણમાં કોઈ કાર્યવાહી ન કરવા ઇન્સ્ટિટ્યૂટનાં મેનેજમેન્ટ ઉપર દબાણ છે? એવો પણ સવાલ ઉદભવી રહૃાો છે.
ખ્યાતિ કાંડ પછી રાજ્યભરમાં ચર્ચિત બનેલા આ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનાં આ કૌભાંડમાં મેનેજમેન્ટે પત્રકારો સમક્ષ ડો. પાર્શ્વ વોરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ઘોષણા કર્યા પછી આ મુદ્દે કેમ 'રુક જાવ' ની સ્થિતિમાં છે? એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial