Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોને પાકની નુક્સાનીની સહાય ચૂકવવામાં વેરા ભરવાની ફરિયાદ સામે ડીડીઓની કડક સૂચના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાકમાં નુક્સાનીની સહાય ચૂકવવા ૧૦ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે અને તેમાં ખેડૂતોને અરજી કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે કાલાવડ સહિત અન્ય કેટલાક તાલુકાઓમાંથી ટીડીઓ દ્વારા ખેડૂતોને જો વેરા નહીં ભર્યા હોય તો વેરા ભર્યા પછી જ અરજી સ્વીકારવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. જો કે ડીડીઓ સમક્ષ ખેડૂતોની ફરિયાદો પહોંચતા તેમણે તમામ ટીડીઓને હાલ નુક્સાનની સહાય ચૂકવવાની પ્રક્રિયામાં ખેડૂતોના વેરા ભરવાની બાબતને નહીં સાંકળવા અને તમામની અરજી સ્વીકારી લેવા કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh