Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીને વોશીંગ મશીનની વ્યાજ સાથે કિંમત ચૂકવવા ફોરમનો આદેશ

સેમસંગ કંપનીનું ખરીદવામાં આવ્યું હતું મશીનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના એક આસામીએ સેમસંગ કંપનીના ખરીદેલા વોશીંગ મશીનમાં ડીફેક્ટ નીકળતા અને રીપેરીંગ પછી પણ યોગ્ય રીતે મશીન કામ ન કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી મશીનની કિંમત પરત માંગી હતી. તે રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા ફોરમે હુકમ કર્યાે છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ મોલ સ્થિત રિલાયન્સ રીટેઈલમાંથી મિતુલ પટેલ નામના આસામીએ ઓગસ્ટ ૨૦૨૪માં દસ કિલોની કેપેસીટીનું સેમસંગ કંપનીનું વોશીંગ મશીન ખરીદ્યુ હતું.

તે મશીનમાં ત્રણ દિવસ પછીથી અવાજ આવવાનું શરૂ થતા મિતુલ પટેલે તેની કંપનીને જાણ કર્યા પછી અવારનવાર જાણ કરી હતી અને જાણના પગલે તે મશીન રીપેર કરાતું હતું પરંતુ યોગ્ય રીતે કામ કરતું ન હતું. તેથી મિતુલ પટેલે ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.

તે ફરિયાદ ચાલી જતાં ફોરમે સેમસંગ ઈલેકટ્રોનિકસ તથા રિલાયન્સ રીટેઈલને સંયુકત અથવા વિભક્ત રીતે વોશીંગ મશીનની કિંમત રૂ।.૩૦૪૦૫ છ ટકા વ્યાજ સાથે અને માનસીક ત્રાસ અને ફરિયાદ ખર્ચ પેટે રૂ।.૮ હજાર અલગથી ચૂકવવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh