Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સુભાષ શાક માર્કેટ પુનઃ શરૂ કરવા કમિશનરને રજૂઆત

ગાલાધારકો તથા સ્થાનિક અગ્રણીઓ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૫: જામનગરની સુભાષ શાક માર્કેટ પુનઃ એક વખત ખોલી આપવા અને ધંધો કરવાની મંજુરી આપવા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગરની સુભાષ શાક માર્કેટ ગેરકાયદે રીતે બંધકરવામાં આવી છે, અને તંત્ર દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે. અનેક પરિવારોના ગુજરાન શાક-બકાલા ઉપર ચાલે છે. આથી સત્વરે સુભાષ શાક માર્કેટ ધંધાર્થીઓ માટે ખુલ્લી મૂકવી જોઈએ જેથી અનેક ગરીબ પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવી રજૂઆત અબ્દુલ સતાર, ઈબ્રાહિમભાઈ, મહંમદભાઈ, અબ્દુલ ગફાર કાલાવડિયા, હાજી અબ્દુલ કાદર ધ્રોલિયા તથા સુભાષ શાક માર્કેટના અનેક ગાલા ધારકો દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh