Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં નિદ્રાધીન હાલતમાં જ યુવાનને આવેલો હૃદયરોગનો હુમલો ભરખી ગયોઃ
જામનગર તા. ૧૫: જામનગરના ગોકુલનગર નજીક ગરીબનગર પાણાખાણમાં રહેતા એક યુવાન સુઈ ગયા પછી બેશુદ્ધ બની ગયા પછી સંભવિતઃ રીતે તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જ્યારે મીઠાપુરમાં રખડતા ભટકતા એક વૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. ઉપરાંત ખંભાળિયા નજીક ખાનગી કંપનીના પાર્કિંગમાં એક યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવારમાં ખસેડાયા હતા તેઓનું પણ મૃત્યુ થયું છે.
જામનગરના ગોકુલનગર નજીક ગરીબનગર પાણાખાણમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ગોપાલભાઈ જાદવ નામના બત્રીસ વર્ષના યુવાન ગયા ગુરૂવારે બપોરે પોતાના ઘરે સુઈ ગયા પછી સાંજે છ વાગ્યા સુધી નહીં ઉઠતા તેમના પિતા ગોપાલભાઈ જીવણભાઈ જાદવે પુત્રને ઉઠાડ્યા હતા પરંતુ અવાચક જેવી હાલતમાં રહેલા ધર્મેન્દ્રભાઈ નહી ઉઠતા તેઓને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં રેલવે સ્ટેશન નજીક ઝંડાચોક પાસેથી ગોપાલ દેવનાથ નિયમ (ઉ.વ.૭૦) નામના સાધુ શુક્રવારે હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયામાં પાળેશ્વર મંદિર રોડ પર રહેતા ગોપાલ દેવનાથ છેલ્લા દસેક વર્ષથી મીઠાપુરમાં સાધુ તરીકે રહેતા હતા. પોલીસે ભીમરાણાના નવાપરામાં વસવાટ કરતા જનકસિંહ ગુમાનસિંહ વાઢેરનું નિવેદન નોંધ્યું છે.
જામનગર શહેરના ગાંધીનગર નજીકના મોમાઈનગરની શેરી નં.૪માં રહેતા દેવેન્દ્રસિંહ બનુભા જાડેજા (ઉ.વ.૩૮ નામના યુવાન ગયા બુધવારે બપોરે ખંભાળિયા નજીક નયારા કંપનીના પાર્કિંગમાં હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું ખૂલ્યું છે. મચ્છર નગરમાં રહેતા પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial