Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનાવના પગલે પ્રસરી ગઈ અરેરાટીઃ
જામનગર તા. ૧૫: જામનગર નજીકના નાના થાવરીયામાં વસવાટ કરતા એક યુવાનના બાર વર્ષના થેલેસેમિયાથી પીડાતા પુત્રને આજે સવારે ઝેરી મધમાખી કરડી ગયા પછી રીએક્શન આવ્યું હતું. આ તરૂણને સારવાર માટે જામનગર હોસ્પિટલ લઈ જવાયો હોવા છતાં બચાવી શકાયો નથી. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી દીધી છે.
જામનગર તાલુકાના નાના થાવરીયા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા ધીરૂભાઈ જેપાર નામના યુવાનનો બાર વર્ષનો પુત્ર વિશાલ થેલેસેમિયાની બીમારીથી પીડાતો હતો. તે દરમિયાન આ બાળકને આજે સવારે કોઈ ઝેરી મધમાખી દંશ મારી જતા આ બાળક બેશુદ્ધ બની ગયો હતો. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા વિશાલનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવના પગલે નાના થાવરીયા ગામમાં શોક પ્રસરી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial