Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીફ્ટ સરકી પડતાં મોતને શરણ થયો યુવાનઃ
જામનગર તા. ૧૫: દ્વારકા શહેરમાં રહેતા એક વૃદ્ધાને પેટમાં કેન્સરની ગાંઠ હોવાનું થોડા સમય પહેલાં નિદાન થયા પછી સારવાર અપાવાતી હતી. ડામાડોળ માનસિક સ્થિતિ સાથે જીવતા આ વૃદ્ધા ગયા મંગળવારે ચા બનાવતી વખતે દાઝી ગયા પછી મૃત્યુ પામ્યા છે. જ્યારે ઈન્દ્રપ્રસ્થમાં લીફ્ટ રીપેરીંગ કરતી વખતે પટકાઈ પડેલા યુવાનના મૃત્યુ અંગે તેના પિતાએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા શહેરની જલારામ સોસાયટીમાં વસવાટ કરતા જયોતિબેન દિનેશભાઈ બારાઈ નામના સાંઈઠ વર્ષના વૃદ્ધા છેલ્લા એકાદ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને દોઢેક મહિના પહેલાં તેઓને પેટમાં કેન્સરની ગાંઠ થયાનું પણ તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. આ વૃદ્ધાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવવામાં આવી રહી હતી.
આ મહિલા ગયા મંગળવારે પોતાના ઘરે ગેસ પર ચા બનાવતા હતા ત્યારે કોઈ રીતે ચૂલામાંથી તેમના પહેરેલા કપડામાં અગ્નિની જવાળા અડકી ગઈ હતી. સળગી ઉઠેલા જયોતિબેને બૂમાબૂમ કરી હતી. આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને તેઓએ આગ બુઝાવી જયોતિબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ગુરૂવારે રાત્રે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર કપિલભાઈ બારાઈએ પોલીસને જાણ કરી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર સનસિટી સોસાયટી-રમાં રહેતા નવાઝ મહંમદઅલી સોરઠીયા (ઉ.વ.ર૦) નામનો યુવાન ગયા બુધવારે રાત્રે પંચેશ્વર ટાવર રોડ પર આવેલી ઈન્દ્રપ્રસ્થ બિલ્ડીંગમાં ત્રીજા માળે લીફ્ટ રીપેરીંગ કરતો હતો ત્યારે અકસ્માતે લીફ્ટ નીચે સરકી પડતા તેમાં રહેલા નવાઝને ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. તેના પિતા મહંમદહનીફ મહંમદભાઈ સોરઠીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial