Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેરબજારમાં રોકાણના નામે કરાઈ હતી છેતરપિંડીઃ
જામનગર તા. ૧૫: જામનગરના બે આસામી સાથે ગયા વર્ષે શેરબજારમાં રોકાણના નામે રૂ.૨૮ લાખ ૩૬ હજારની છેતરપિંડી કરી લેવાયાની વિભાપરના શખ્સ સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રખાઈ છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા કેવીન રોલા નામના આસામીને ગયા વર્ષે રાહુલ મનિષભાઈ વાસાણી નામના વિભાપર ગામના શખ્સે શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટના નામે છેતરી લીધાની ગયા જુન મહિનામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
ફરિયાદમાં જણાવાયા મુજબ કેવીન રોલા તથા યુવરાજસિંહ જાડેજા નામના બે આસામી સાથે આ રીતે રૂ.ર૮ લાખ ૩૬ હજારની ઠગાઈ કરી લેવાઈ છે. ગુન્હો નોંધી સાયબર ક્રાઈમ ટીમે શરૂ કરેલી તપાસમાં આરોપીને સુરતના કતારગામમાંથી દબોચી લેવાયો હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે. આરોપી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિત તીર્થાણી, વી.યુ. ચાવડા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial